પાંજરાપોળ — પશુ આશ્રય
અમે ગોધરા ખાતે "જીવદયા ધામ" નામની ધર્માર્થ પાંજરાપોળ સ્થાપી છે, જે "શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ" દ્વારા સંચાલિત છે — નિરપરાધ, બેઘર અને નબળાં પ્રાણીઓ માટે કાયમી આશ્રય.
ગોધરા થી મોટી સંખ્યામાં પ્રાણીઓને કતલખાનામાં લઈ જવામાં આવે છે. અમારું ટ્રસ્ટ આ પ્રાણીઓને બચાવી તેમને સુરક્ષિત, કાયમી ઘર પૂરું પાડવાનું કાર્ય કરે છે.
"જીવદયા ધામ"નો મુખ્ય ઉદ્દેશ આવા પ્રાણીઓને બચાવવાનો અને અમારી પાંજરાપોળમાં તેમને સુરક્ષિત આશ્રય આપવાનો છે. ગયા વર્ષ દરમિયાન અમે 600 થી વધુ પ્રાણીઓને બચાવ્યા છે.
આજે ઘણા બેઘર અને નબળા પ્રાણીઓ અમારી પાંજરાપોળમાં ભય વગર શાંતિથી રહે છે.
